Saturday, December 29, 2012

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ



           સંયુક્ત કુટુંબ  -  વિભક્ત  કુટુંબ




           સંયુક્ત કુટુંબ  કે વિભક્ત  કુટુંબ વિષે  વિચારીએ એનાં કરતા ફકત કુટુંબ વિષે  વિચારીએ તો કદાચ બીજા બધા વિચારો બંધ થઈ જાય. તો પણ ૨૧ મી સદીમાં સંયુક્ત કુટુંબની તરફેણ કરવી એ કદાચ પાગલખાને પહોંચાડે તેવી વાત છે. છતાં પણ સિક્કાની એ બીજી  બાજુ પણ જોશું. જો કે આજના જમાનામાં વિભક્ત  કુટુંબ પ્રચલિત  છે તેમાં બે મત નથી . આજે જ્યારે છોકરાવાળા ઓ છોકરી જોવા જાય છે ત્યારે દીકરીઓ નો પહેલો પ્રશ્ન છે કે સાથે રહેશું કે એકલા ? એ જ બહુ દુખની વાત છે.
          મોંઘવારીનાં જમાનામાં જ્યારે પતિ પત્ની બંને કામ કરતા હોય ત્યાં  બાળકો સંયુક્ત કુટુંબમાં સારા સંસ્કાર પામે છે . બાર સાંધતા તેર તુટે છે એવી હાલતમાં સંયુક્ત કુટુંબ આવકારદાયક છે.પણ આજની દીકરી કમાતી થઈ છે.  શિક્ષિત છે એટલે હવે એને સવાલ પૂછવાનો હક્ક મળી ગયો છે એવું નથી કે સ્વંતત્ર જિંદગી જીવવાનો હક્ક નથી પણ સંયુક્ત કુટુંબનાં ફાયદાનું કદાચ આજની પેઢીને જ્ઞાન જ નથી .જ્યારે કુટુંબો વિભક્ત થાય છે ત્યારે મન પણ જુદા થાય છે. મારું તારું અને  સ્વાર્થ જ ફુલેફાલે છે.
       સંયુક્ત કુટુંબમાં પ્રેમનું વ્રુક્ષ સિંચાય છે.ઘરનાં વડિલ  ધ્વારા જો લઈ શકીયે તો અનુભવનો રસથાળ સાંપડે છે. એકબીજા પ્રત્યે આદર અને 
સન્માન મળે છે. ઉદાર દિલની ભાવના કેળવાય છે. જતુ કરવાનો ગુણ વિકસે છે. વિકાસની હર રાહ ખુલે છે. જૂની અને નવી પેઢી વચ્ચેનું ઘર્ષણ યુક્ત વાતાવરણ ભુંસાઈ નવી સાંકળ ગુંથાય છે.વડિલો સમજદારીપૂર્વક  પોતાની સત્તાનો દોર હળવે હળવે યુવાનોને સોંપી સુખમય જિંદગી 
ગુજારી શકવા ભાગ્યશાળી બને છે.
          સંયુક્ત કુટુંબમાં બસ દરેક વ્યકતિની સ્વંતત્રતા જળવાય એ ખૂબ અગત્યનું પાસુ છે. પણ જો બે ત્રણ પેઢી સાથે રહેતી હોય તો બધાએ સમજવું જરૂરી છે કે પોતે જે પોતાનાં વડિલો સાથે વર્તન કરશે એ જ અનુકરણ એમનાં બાળકો એમની સાથે કરશે. કારણ સંસ્કાર હાથમાં દેવાની વસ્તુ  નથી. પણ એ તો જેવૂ જોવે એવું જ લોહીમાં આવી જાય છે.
  ઘણી  વખત જગ્યાને અભાવને કારણે અલગ થાવું પડે છે. બાળકો નાનપણથી નર્સરી માં જતા થઈ ગયા છે, આજની પેઢી મોંઘામાં મોઘી નર્સરીમાં દાખલ કરવામાં અને નવા નવા ક્લાસ ભરાવીને બાળકોને ઘરની બહાર રાખવામાં સારપ લાગે છે. પણ વડિલો પાસે એ બાળકોને રાખવા  માન્ય નથી  આજની પેઢીને એ નથી ખબર કે બંને નોકરી કરતા હોવાને કારણે તેમનાં બાળકોનું બાળપણ લાડકોડ અને પ્રેમને  બદલે ઘડિયાળ  નાં કટોરે દોડતું થઈ જાય છે.
        રવિવારે મેકડોનાલ્સમાં લઈ જઈ પોતાની માતા -પિતા હોવાની જવાબદારી પૂરી કરી એમ સમજે છે. પણ વડિલો પાસે બેસી સાથે એમની સાથે વાત કરવા માટે કે સપરિવાર ફરવા જવા માટે તેમની પાસે સમય પણ નથી એને તેમની ઇચ્છા પણ નથી. ઘરનું વાતાવરણ ખેલદિલીને બદલે હંમેશ ધુંધળુ જણાય છે. વિભક્ત કુટુંબ  માં ફાયદો એક જ છે કે પતિ પત્ની સઘળા કાર્યો પોતાની મરજી થી કરી શકે છે. તેમને કોઇની રોક ટોક નથી હોતી.
               આ સવાલ એક વડિલને પુછ્યુ કે " તમને શું લાગે છે શું સારુ સંયુક્તકુટુંબ કે વિભક્ત કુટુંબ?
તો એ વડિલે જવાબ આપ્યો. " હું તો એકલી રહું છું. મારાથી આજની પેઢી સાથે દોડાતુ નથી આ ઉંમરે એમનાં ટીફીન  ભરીને દેવાની અને એમનાં બાળકોને એક ક્લાસમાં થી બીજા કલાસમાં મુકવા જવાની તાકત મારામાં નથી . એમને જ્યારે મારી જરૂરત પડે ત્યારે હું છું એમની માટે. પણ રોજની દોડધામકરવાની અને બધું કર્યા પછી પણ એ સાંભળવાની તાકાત નથી કે " બા, તમને ખબર ના પડે.તો પછી હું પણ મારી જિંદગી શાંતીથી જીવું ને !
           એક ૨૫ વર્ષની દીકરીને પૂછ્યું કે તું શું વિચારે છે તને શું ગમે સાથે રહેવું કે એકલા રહેવું  તો તેનો જવાબ હતો " આંટી સાથે રહીયે છે કે અલગ..રહીયે એનાથી કંઇ ફરક નથી પડતો. બસ સ્વભાવમાં મેળ પડવા જોઇયે, નહિ તો 
સંયુકત કુટુંબ માં રહેવા વાળા પતિ પત્ની પણ sms માં ઝગડા કરે છે અને એકલા રહેવા વાળા પતિ પત્ની પડોશીઓ સાંભળે એમ ઝગડા કરે છે. " આજે દીકરા વહુ ને સંભાળીને રાખવાની જવાબદારી હવે માતા પિતા પર વધી ગઈ છે. કારણ પહેલા પણ દીકરાના બાળકોને વડીલો જ સાચવતા અને હોશે હોશે સાચવતા કારણ ત્યારે વહુ ઘરનું કામ કરતી અને સાસુ ખાટલે બેસીને બાળકો સંભાળતા પણ આજે માતા પિતા ઓ ને એ જ કામ આકરું લાગે છે કારણ વહુ સવારથી રાત સુધી બહાર કમાવા જાય છે. જરૂર પડે તો તેને પાર્ટી માં જવું પડે છે અને એ વાત આજની સાસુ સમજવા તૈયાર નથી , જ્યારે કે વહુ અને દીકરો કહે છે કે અમે રસોઈ કરવા વાલા બેન પણ રાખી દેશું પણ છતા  ઘરમાં જગડા થાય છે. તો વહુ અને દીકરા કંટાળીને અલગ રહેવાનું વિચારે છે અને એનો દોષ નો પોટલો જાય છે વહુ નાં માથે  . આજનાં  સાસુ ઓ ની જવાબદારી વધી ગઈ છે કે એમને બધું પ્રેમ થી સંભાળવું જ પડશે , નહિ તો આગળ જતા દીકરા વહુ થી અલગ થવાનું નક્કી હશે. સંપ હશે ત્યાં જંપ હશે।  આજની પેઢી ઘણું જતું કરવા તૈયાર છે. તેઓ પૈસે ટકે  બધું જ સંભાળવા તૈયાર છે પણ એમની સ્વતંત્રતા જુટ વાય એ એમનાથી સહન નહિ થાય  . કારણ આજની મોન્ગ્વારી ભરેલી જિંદગી માં  પૈસા વગર ચાલવાનું નથી એટલે નોકરી તો કરાવી જ પડશે।  તો તેમને પણ ઘરમાં શાંતિ અને સંપ જોઈએ છે. થોડું ઘણું જતું કરવાની ભાવના થી જ કુટુંબ સંયુક્ત થઇ શકશે  . અને બધી પેઢી માં હોવું જરૂરી છે  . બધાએ એક બીજાને સમજવા પડશે , સંભાળવા પડશે અને સહન પણ કરવા પડશે  , પણ સહન ત્યારે જજ થશે જ્યારે  એમાં થોડી લાગણી પણ ભરેલી હશે ,  80% એકબીજાને  એકબીજા માટે સંભાળ હશે તો બધા એક બીજાને  સહન પણ કરી લેશે  . 
દિવસે દિવસે જમાનો બદલાઈ રહ્યો છે અને બદલાયેલા જમાના સાથે જો વડીલો નહિ ચાલે તો એ કુટુંબ તૂટતા વાર નહિ લાગે  . કારણ વહુ ને લઇ ને આવીએ છે ત્યારે આપણને ખબર જ હોય છે કે એ જોબ કરશે જ અને એ ઘરનું કામ નથી જ કરી શકવાની। એવા કેટલાયે ઘર જોયા છે કે જ્યાં સાસુ સવારના વહુ માટે ટીફીન બનાવી ને તૈયાર રાખે અને રાતના વહુ ભૂલ્યા વગર સાસુ ની જરૂરીયાત ની બધી જ વસ્તુ ઓ લઇ આવે છે. આ જમાનો ગીવ એન્ડ ટેક નો છે  . જે આપશો એ મળશે।  તો કુટુંબ બચાવાનું પણ ઘરના લોકો નાં જ હાથ માં છે 

   છેલ્લે એ નિષ્કર્ષ મળ્યો કે જો થોડી સમજણથી  સંયુક્ત કુટુંબ ટકી રહે તો સાથે રહેવાથી સત્કર્મ થાય છે. વડિલો સાથે બેસવાથી સતસંગ થાય છે જેનાથી સદગુણ  પ્રાપ્ત થાય છે અને સદભાગી થવાય છે     જીવનમાં પોતે જ સદવર્તનથી જીવતા આવડી જાય છે, હંમેશ એક્બીજાનો સથવારો મળી રહે છે. કોઇપણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ મળી રહે છે. લક્ષ્મીજી સાથે સરસ્વતીજીનો નિવાસ પણ ઘરમાં રહે છે.  અને સપરિવાર શાંતિથી સાથે  રહેવાથી દુનિયા સવિસ્મય જોઇને સુખ અનુભવે છે..

નીતા કોટેચા "નિત્યા"

3 comments:

  1. નિત્યાજી
    આ એક લાંબી ચર્ચાનો અને અનુભવ નો વિષય છે આપે નિષ્ઠાપૂર્વક તમે થોડુ મનનિય વિષ્લેશણ જરુર કર્યુ પણ સમય સંજોગ પરિસ્થીતિ અને સંસંસ્કાર પણ મહત્વ ના પરીબળો છે એ બધા ને ધ્યાન મા રાખી લખશો તો લેખ વધુ પરિપકવ બનીશકશે

    ReplyDelete
  2. મારા ગુરુજીએ મને આ વિય

    ReplyDelete
  3. વિશે લખવા આપ્યું

    ReplyDelete